Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ગીર સોમનાથના જમજીર ધોધ પાસે નાહવા ગયેલા યુવકોમાંથી એક યુવકનું મોત : જન્‍માષ્‍ટમી એજ બન્‍યો કરૂણ બનાવ

ગીર-સોમનાથ :ગીર-સોમનાથના પ્રખ્યાત એવા જમજીર ધોધ પાસે જન્માષ્ટમીની સાથે દુખદ ઘટના બની હતી. ધોધ પાસે ડૂબી જવાથી સૂત્રાપાડાના યુવકનું મોત નિપજ્યું છે.

જન્માષ્ટમીનો તહેવાર હોવાથી જામવાળા ગીરના પ્રખ્યાત જમજીર ધોધ પાસે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ત્યારે આ ધોધમાં સુત્રાપાડાના વાવડી ગામનો ભૂપેન્દ્ર વાળા નામનો યુવક ડૂબી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. જન્માષ્ટમીની રજા હોવાથી તે મિત્રો સાથે જમજીર ધોધ ફરવા આવ્યો હતો.

અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શોકમાં ધંધો-રોજગાર બંધ રાખ્યો

મોત પહેલા ભૂપેન્દ્ર વાળા તેના મિત્રો સાથે મસ્તીમાં મશગૂલ હતો. તેણે મોતની થોડી મિનિટો પહેલા અનેક સેલ્ફી લીધી હતી. ત્યારે તેના મોબાઈલમાંથી તેની આ અંતિમ સેલ્ફી પણ મળી આવી હતી.

(4:52 pm IST)