Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ભચાઉના આધોઇ પાસે ટ્રેન હડફેટે ૧૦ ગાયના મોત

ભુજ તા.૨૫: કચ્છમાં વિસ્તરી રહેલા રેલ્વે વ્યવહાર સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે ભચાઉના આધોઇ નજીક આવી જ એક દુખદ ઘટના સામે આવી છે મોડી રાત્રે પશુઓ લઇ જતા એક માલધારીની ૧૦ ગાયોના ટ્રેન હડફેટે મોત થયા છે. જો કે પ્રાથમિક રીતે રેલ્વેની કોઇ બેદરકારી સામે આવી નથી પરંતુ ગાયોના ધણ પર ટ્રેન ફરી વળતા આ ઘટના સર્જાઇ હતી.

જેમાં ૧૦ ગાયોના ઘટના સ્થળે મોત થયા હતા. જયારે ૩ ગાયો ઇજાગ્રસ્ત બનતા તેને જીવદયા પ્રેમીઓએ સારવાર માટે ખસેડી છે. જીવદયાપ્રેમી જયસુખભાઇ કુબડીયાને જાણ થતા તેઓ ત્યા પહોંચ્યા હતા. અને ત્યારબાદ કનકસુરી અહિંસાધામના કાર્યકરો આગેવાનો ત્યા ઘસી ગયા હતા અને ઇજાગ્રસ્ત બનેલી ૩ ગાયોની સારવાર કરી હતી ઘટના મોડી રાત્રે બની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. માલધારી કચ્છ બહારથી પશુઓ ચરાવવા આવ્યો હોવાનું અહિંસાધામના ભદ્રીકભાઇએ જણાવ્યું હતું હાલ બનાવને પગલે ભચાઉ સહિત આસપાસના જીવદયાપ્રેમીઓમાં આ ઘટનાને લઇ અરેરાટી ફેલાઇ છે જો કે ૩ ગાયોને સારવાર આપી બચાવવામાં જીવદયા મંડળોને સફળતા મળી  હતી.(૧.૧૬)

(3:48 pm IST)