Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ

૨૯ ના રાત્રે ભજન સંધ્‍યા, તા ૩૦ ના સવારે વિષ્‍ણુ યાગ યજ્ઞ, રાત્રે સત્‍યનારાયણ ભગવાનની કથા, તથા અષાઢી બીજના દિવસે તારીખ ૧ ના રોજ શાહી તાાન, ભવ્‍ય નગરચર્યા અને મહાપ્રસાદ

જૂનાગઢ,તા.૨૫ : પુરી જગન્નાથ ભગવાનની આબેહૂબ પ્રતિકળતિ જ્‍યાં બિરાજમાન છે તેવા  ગંધ્રપવાડા લેઈન ખાતે આવેલ ભગવાન જગન્નાથજી મંદિરે આગામી અષાઢી બીજના પાવન દિવસ નિમિત્તે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ની ૧૮ મી ભવ્‍ય નગરચર્યા સહિતના વિવિધ ત્રિદિવસીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્‍યું છે જેને લઇ જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે

‘‘ રથયાત્રા એટલે સામૂહિક એકતાનો સંદેશ'' અષાઢી બીજ અંતર્ગત જગન્નાથજી મંદિર ખાતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમમાં તારીખ ૨૯ ને બુધવારે રાત્રે નવ વાગે સ્‍વ મુકુંદભાઈ સૂચક આયોજિત રાધા કળષ્‍ણ ભક્‍તિ સંગીત ગ્રુપ દ્વારા ભવ્‍ય ભજન સંધ્‍યાનું  તો રથયાત્રાના પૂર્વ દિવસે તારીખ ૩૦ ના રોજ મંદિર ખાતે સવારે ૯ થી ૪ ભવ્‍ય વિષ્‍ણુ યાગ યજ્ઞ, તેમજ રાત્રે આઠથી દસ કલાક સુધી સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે

તો અષાઢી બીજના પાવન દિવસે મંદિરે ખાતે સવારે હાંડી ભોગ પ્રસાદ, ઉપરાંત ભગવાનનું શાહી તાાન તથા બપોરે ૩:૩૦ વાગે જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નગરચર્યા રથયાત્રા શહેરના માર્ગો પર - પ્રસ્‍થાન કરશે

     રથયાત્રાના ત્રણેય રથો ને ભાવિકો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે તેમજ બહેન સુભદ્રાજીના રથને બહેનો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે

      રથયાત્રામાં વિવિધ ફલોટ ઉપરાંત રાસ મંડળી , ધૂન મંડળ બેન્‍ડ બાજા સહિતના યુવક મંડળો તથા સંતો મહંતો શહેરના રાજકીય-સામાજિક આગેવાનો,  ભાવિકો જોડાશે

 ભગવાન જગન્નાથજીની ભવ્‍ય રથયાત્રા જગન્નાથજી મંદિરેથી સજના ઓટે ,લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક થી જવાહર રોડ અને ભીડભંજન મંદિર થઈ જગન્નાથજી મંદિરે પરત ફરશે

  અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ૧૮મી રથયાત્રા સંપન્ન થયા બાદ ભાવિકો માટે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રે આઠ વાગે ભાવિકો માટે ભોજન પ્રસાદનું  આયોજન કરવામાં આવ્‍યું છે

     ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમ પૂર્વક ઉજવણી ઉજવવા જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિ ના -મુખ મોટા પીર બાવા મહંત તન સુખ ગીરી બાપુ ના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ જનકભાઈ પુરોહિત નલા ભાઇ કોટેચા,  ભીખુ ભાઈ રાઠોડ મંત્રી મનસુખભાઈ વાજા,  સહમંત્રી પિટી પરમાર , નવનીત ભાઈ શાહ , બીપીન ભાઈ ભટ્ટી , વિજયભાઈ કિકાણી ,ખજાનચી રાજેન્‍દ્ર ભાઈ ચુડાસમા તથા સહ ખજાનચી વીરેન ભાઈ શાહ ,પ્રફુલભાઈ પોપટ તેમજ  જગન્નાથજી મંદિરના મહંત હિતેશ ભાઇ વ્‍યાસ ,રથયાત્રા કારોબારી ,કાર્ય સંકલન અને મહિલા અગ્રણીઓ સહિતની ટીમ  ના સભ્‍યો દ્વારા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(1:23 pm IST)