Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાને ‘‘ગુલાબ તથા ડોલરના ફૂલો''- મયુરપંખના વાઘાનો શૃંગારઃ મારૂતિ યજ્ઞ

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ, પુ શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી તથા કોઠારી સ્‍વામી પુ શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શન હેઠળ આજે દાદાના દરબારમા તા, ૨૫ મીને શનિવારના રોજ  ‘ગુલાબ તથા ડોલર ના અનોખા શણગાર દર્શન' યોજાયેલ હતા તેમજ સવારે મંગળા આરતી પૂજારી સ્‍વામીશ્રી ડી. કે. સ્‍વામી દ્વારા કરવામાં આવેલ તથા શણગાર આરતી પ, પુ.કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ હતી તૅમજ સવારના ૭ વાગ્‍યાંથી સાંજના ૫ વાગ્‍યાં સુધી  ‘મારૂતિ યજ્ઞ'પણ યોજાયેલ હતો. આજે શનિવાર હોય દાદાના દરબારના સવારે મંગળા આરતી તથા શણગાર આરતીમા હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતો તૅમજ સાળગપુર હનુમાનજી યુ ટયુબ ના માધ્‍યમથી પણ હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ હતા. દાદાને દિવ્‍ય મયુર પંખના વાઘાનો શણગાર કરવામાં આવેલ હતો.

 

(12:20 pm IST)