Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કોડીનારમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ તથા પુષ્‍પાંજલિ કાર્યક્રમ

કોડિનાર : ભારતીય જનસંઘના સ્‍થાપક ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીની પુણ્‍યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વળક્ષારોપણ તથા પુષ્‍પાંજલિનો કાર્યક્રમ વોર્ડ નં. ૧ના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં ન.પા. ઉપપ્રમુખ સુભાષભાઇ ડોડીયા, ન.પા. સદસ્‍ય માનસિંહભાઇ જાદવ, મહામંત્રી મીલીનભાઇ જાદવ, ડો.પ્રો. રામભાઇ વાઢેર,  ઉપપ્રમુખ અજયભાઇ પરમાર, યુવા મોરચા પ્રમુખ પિયુષભાઇ બારડ, કિસાન મોરચા પ્રમુખ અમરસિંહભાઇ બારડ તથા કાર્યકરો હાજર રહ્યા હતા.(તસ્‍વીર - અહેવાલ : અશોક પાઠક કોડિનાર)

(11:19 am IST)