Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જામનગરમાં કુકર ફાટતા આગ ભભૂકી : મહિલાનું મોત

ફાયરબ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવ્યો પરંતુ ગંભીર હાલતમાં દાઝી જતા વસંતબા ખોડુભા જાડેજાનું મૃત્યુ થયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૫: જામનગરમાં કુકર ફાટતા પ્રસરેલી આગમાં મહિલાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ સ્મશાન નજીકની નગરમાં મ્યુનિસિપલ ગેટ સામેના મકાનમાં અચાનક જ કુકર ફાટતા અકસ્માતે આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને તાબડતોબ ફોન કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

જયાં તાત્કાલિક ઇલેકિટ્રક સપ્લાય બંધ કરી મકાન નો મેન દરવાજાનું તાળું તોડી ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘરની અંદર પ્રવેશી એક ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

આ દરમિયાન આગની ઘટનામાં વસંતબા ખોડુભા જાડેજા નામના મહિલાને દાઝી જવાથી જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ છે.(તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(4:04 pm IST)