Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોરોનાના કારણે પરબધામ અષાઢી બીજનો મેળો રદ

પૂ. કરશનદાસબાપુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણયઃ માત્ર પૂજનવિધી કરાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ : જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના ભાવિકોના અસ્થાના પ્રતિક પરબધામ ખાતે આ વર્ષે અષાઢી બીજનો મેળો કોરોનાના કારણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

પરબધામના પૂ. કરશનદાસબાપુની અધ્યક્ષતામાં આજે સેવક સમુદાયની મળેલી મિટીંગમાં સર્વાનુ મતે આ મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર અને રાજય સરકારની ગાઇડલાઇન તથા તંત્રના આદેશથી ભાવિકોની ભીડ એકત્ર ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.અષાઢીબિજ નિમિતે પરંપરા મુજબ પ્રતિકાત્મક પૂજન-અર્ચન સાથેની મંદિરની અંદરની તમામ વિધી ચાલુ રહેશે.જેમા ભાવિકોને પ્રવેશ અપાશે નહી.

(11:54 am IST)