Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

શનીવારે જુનાગઢમાં પૂ. ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિત્તે ભંડારો - મહાઆરતી સહિતના કાર્યક્રમો

વાંકાનેર તા. ૨૫ : જૂનાગઢમાં આવેલ ભવનાથ તળેટી, ગિરનાર તળેટી માં આવેલ  શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા  સંતશ્રી ભોલેબાબાજીના સમાધિ મંદિર ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રંભગવાન તેમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની કૃપાથી ભવનાથ તળેટી ખાતે શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે આગામી સંતશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા તા. ૨૬ને શનિવારે પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૫ મી) પુણ્યતિથિના પાવન પુણ્યશાળી અવસરે સવારે ૧૧ કલાકે પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું વિશેષ  પૂજન અર્ચનવિધિ  કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ કલાકે ઢોલ નગારા અને શંખો દ્વારા પૂજય બાબાજીના મંદિરમાં  મહા આરતી  કરવામાં આવશે તેમજ આરતી બાદ બપોરે બાર કલાકે પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિનો  સાધુ - સંતોનો ભંડારો  રાખેલ છે. આ કાર્યક્રમ સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ યોજાશે.

પૂજય બાબાજીના ભંડારાનો મહાપ્રસાદ સાધુ-સંતો લેશે તેમ  સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના  સેવક સમુદાયની યાદીમાં જણાવાયું છે.

(10:12 am IST)