Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

માળિયાના વવાણીયા ગામે ગૌચર જમીન પર વાવેતર રોકવા માંગ

ગૌચર જમીન બચાવવા માલધારી સેના દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું

માળિયા તાલુકાના વવાણીયા ગામમાં આવેલ ગૌચર જમીનમાં વાવેતર કરવામાં આવતું હોય જેથી ગૌચર જમીન બચાવવા માલધારી સેના દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું છે
ગુજરાત માલધારી સેના આઈટી ઉપપ્રમુખ નવઘણભાઈ વકાતરની રાહબરી હેઠળ ગુજરાત માલધારી સેનાએ માળિયા મામલતદારને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના વવાણીયા ગામમાં ગૌચર જમીન ખેડીને વાવેતર કરેલ છે ગત વર્ષે પણ તે લોકોને જાણ કરવા છતાં આ વર્ષે વાવેતર માટે તૈયાર કરેલ છે જો આમ જ ગૌચર જમીન ખેડાતી જશે તો બધી જ ગયો રસ્તા પર રઝળતી થઇ જશે જેથી જલ્દીથી પ્રશ્નનો નિરાકરણ લાવવા માલધારી સમાજની માંગ કરી છે

   
(10:21 pm IST)