Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સુરેન્દ્રનગર ખાતે કોવીડ હોસ્પિટલમાંથી વધુ ચાર દર્દીઓ કોરોના મુકત બન્યા

સુરેન્દ્રનગર,તા.૨૫:સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વતની ૩૮ વર્ષીય મહિલા પ્રીતિબેન સિંધવ, લીંબડીના વતની ૭૦ વર્ષીય મહિલા પુષ્પાબેન અને સુરેન્દ્રનગરના વતની ૨૯ વર્ષીય શિવરાજસિંહ ઝાલા તથા અમદાવાદના ધંધુકાના વતની ૭૮ વર્ષીય મહિલા કવુબેનને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ - સુરેન્દ્રનગર ખાતે તેમની સદ્યન સારવાર બાદ આ ચાર દર્દીઓને તાવ,શરદી,ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૪ જુન,૨૦૨૦ના રોજ કોવિડ હોસ્પિટલ - સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.

(11:35 am IST)