Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સાવરકુંડલાના વાંસીયાળીનુ ખેડૂત દંપતિ બળદગાડા સાથે સુરવો નદીમાં તણાયું: પતિનો બચાવઃ પત્નિ લાપત્તાઃ બે બળદના મોત

સાવરકુંડલા, તા. ૨૫ :. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી ગામનું ખેડૂત દંપતિ બળદગાડા સાથે પૂરમાં તણાતા પત્નિ લાપત્તા થયા છે. જ્યારે પતિનો બચાવ થયો છે અને બે બળદનો પણ ભોગ લેવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંસીયાળી ગામે રહેતા ભાવેશભાઈ ઠુંમર અને તેના પત્નિ શોભનાબેન ઠુંમર ગાડામાં બેસીને વાડીએ જઈ રહ્યા હતા  ત્યારે સેલણા ગામેથી પસાર થતી સુરવો નદીમાં બળદગાડા સાથે દંપતિ તણાયુ હતુ.

જેમાં ભાવેશભાઈ ઠુંમરનો બચાવ થયો હતો જયારે તેમના પત્નિ શોભનાબેન ઠુંમર પાણીના પ્રવાહમાં લાપત્તા થતા તંત્ર દોડી ગયુ છે અને તેમની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બે બળદના મોત થયા હતા. તેમજ ગાડુ સેલણા ગામની નદીમાંથી મળી આવ્યુ છે.

(4:06 pm IST)