Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ચોટીલાના બામણબોરમાં ઇયળોનો ઉપદ્રવઃ લોકો ત્રાહિમામ

પહેલો વરસાદ આવતાની સાથે બામણબોર ગામના દલિતવાસ વિસ્તારમાં ઇયળોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ જોવા મળી લોકોના ઘરોમાં અને પાણીની ટાંકીમા ઇળયો દેખાતા રોગચોળા ફાટી નીકળે તેની ભીતી સિવાય રહી છે, ઇયળો ને કારણે લોકોને માનસિક એલર્જી થઇ જાય તેવી સ્થિતમાં મુકાઇ ગયા છે મહિલાઓ દિવસ આખો જાડું લઇને આ ઇયળોને દૂર કરવાના કામમાંજ રહેવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે જે તસ્વીરમાં દર્શાય છે આરોગ્ય વિભાગને જાણ કરવા છતા હાલ તેને રોકવા માટેની કોઇ પ્રયાસ કરવામા નથી આવ્યો જો આ ઇયળો દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. (તસ્વીરઃ જીજ્ઞેશ શાહ-ચોટીલા)

(1:18 pm IST)