Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કુંકાવાવને હચમચાવી નાંખનાર પૂર પ્રલયને ૪ વર્ષ પૂર્ણ

કુંકાવાવ, તા. ૨૫ :. અમરેલી જીલ્લાના કુંકાવાવને હચમચાવી નાંખનાર પૂર પ્રલયને ગઈકાલે તા. ૨૪ જૂનના ૪ વર્ષ પૂર્ણ થયા છે.

તા. ૨૪-૬-૨૦૧૫ના પૂર પ્રલયને ગ્રામજનો તેમજ જે ગામડામાં તબાહી સર્જાય હતી તેને લોકો ભુલી શકશે નહિ. જેમાં નુકશાન પામેલ લોકો, વેપારીઓ, મુંગા પશુની યાદી પણ આજ લોકોને વિચાર માત્રથી થરથરી જાય છે. પૂર પ્રલય ભલભલાના હૃદયમાં અંકિત રહેશે.

પરંતુ આ સોનલ ડેમ તેમજ ઉપરવાસના નદી, તળાવડા ખાલીખમ જોવા મળે છે. વાવણી લાયક વરસાદની પણ ચાતક દ્રષ્ટિથી રાહ લોકો જોઈ રહ્યા છે તો માટીના જ થરો તળાવોમાં જામ્યા છે તેને ફરી ઉંડુ ઉતારવાની તસ્દી પણ લેવામાં આવી નથી. હાલના સમયમાં જળસંગ્રહને લગતી કામગીરી ખાસ જરૂર વર્તાય રહી છે.

(11:38 am IST)