Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સુરેન્દ્રનગરના રાજગઢમાં વિજળી પડવાથી પ પશુના મોત

વઢવાણ તા. ૨૫: સુરેન્દ્રનગર અને જિલ્લા તાલુકાઓમાં વરસાદના મંડાણ શરૂ થયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનકજ વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાંપટાં પડયા છે. જયારે વઢવાણમાં કોઠારીયા રોડ ઉપર પવન આંધી અને વિજળીના કડાકા ભડાકા વચ્ચે કોઠારીયા રોડ ઉપર વિજળી પડવાનો બનાવ બન્યો છે. જેમાં કોઠારીયાના ફીડર બળી જતાં ત્રણ કલાક સુધી વિજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો.

સુરેન્દ્રનગર-વઢવાણ-લીમડી-ચુંડા-ચોટીલા-મુળી-સાયલા-કોઠારીયા-લખતર સહિતના ગામોમાં વરસાદી ઝાંપટાં પડયા હતા.

રાજગઢ માં પણ વિજળી પડવાની ઘટના બનવા પામેલ છે. ત્યારે રાજગઢમાં બે જગ્યા ઉપર વિજળી પડેલ છે. ત્યારે રાજગઢ ગામે પ્રકાશ બળદેવભાઇ અને અવસરભાઇ કોળીની ર ભેંસો અને ત્રણ વાછરડા મળી અને પાંચ પશુઓના મોત વિજળી પડવાના કારણે રાજગઢ ગામે થયા છે. પાંચ પશુઓના મોત થવા છતાં કોઇ અધિકારી ફરકયા ન હોવાના કારણે લોકોમાં રોષ છવાયો હતો.

(3:56 pm IST)