Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જુનાગઢ સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાં શોભાયાત્રા સંપન્ન

જુનાગઢ : તળાવ દારવાજા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે સ્વામી વિવેકાનંદ ની ગુજરાત પરિભ્રમણ ના ૧૨૫ પૂર્ણ થયા તે તબ્બકામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન જુનાગઢના મુખ્ય માર્ગો પર થયેલ આ શોભાયાત્રા રામકૃષ્ણ મિશન તળાવ દરવાજેથી નિકળી કાળવા ચોક થઇ દોમડીયા  વાડીએ પૂર્ણ થયેલ હતી અને ત્યાંં ધર્મ સભા અને નગર શ્રેષ્ઠીઓના સન્માન સાથે સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ આ તકે ઉપસિથત પૂ. બકુલ મહારાજ (રામકૃષ્ણ મિશન રાજકોટ) તથા આત્મ દિપાનંદ મહારાજ (રામકૃષ્ણ મિશન પોરબંદર) તથા જુનાગઢના અધિક કલેકટર શ્રી પરેશભાઇ અંતાણી તથા કેશોદના ડે. કલેકટર શ્રીમતી રેખાબા સરવૈયા, તથા શિક્ષણ અધિકારી તેમજ જાહેરક્ષેત્રના અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી તથા બહાઉદિન કોલેજનાપ્રિન્સિપાલશ્રી ભટ્ટ સાહેબ વિ. ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી સુરેશભાઇ ભરાડ તથા બજરંગ દળના યુવકોએ નહેમત ઉઠાવી હતી.(૩.૧૪)

(12:16 pm IST)