Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જનસેવા કેન્દ્રના અભાવે ચલાલા વાસીઓને ધારીના 'ધક્કા'.. ઘર આંગણે સુવિધા કયારે ?

શહેર યુવા ભાજપ દ્વારા જિલ્લા કલેકટર, સાંસદને લેખીત રજૂઆત

ચલાલા તા.૨૩ : અહીયા લોકોને વિવિધ કામો માટે સુવિધા પ્રાપ્ત કરાવવામાં આવે તેવી લોકલાગણી - માંગણી પ્રવર્તી રહી છે.

આ મુદ્દે શહેર યુવા ભાજપ પ્રમુખ કેતન સરવૈયાએ જીલ્લા કલેકટર અને સાંસદને લેખીતમાં રજૂઆત કરી છે કે, હાલમાં ચલાલા થી ૧૮ કીમીના અંતરે આવેલા ધારી ખાતે જનસેવા કેન્દ્ર સેવા કાર્યરત હોવાથી આવક, જાતી સહિતના કામો માટે દરરોજ અસંખ્ય લોકોને ધારી જવુ પડે છે. ત્યાં ઘણીવાર કોઇ હાજર ન હોય તો ધરમ ધકકા પણ ખાવા પડે છે.

જો ચલાલા ખાતે જ જનસેવા કેન્દ્ર ચાલુ કરી દેવાય તો શહેરીજનોની સાથે સાથે ૨૫ ગામડાના લોકોને પણ ઘરઆંગણે સુવિધાનો લાભ મળી શકે.(૪૫.૩)

(12:10 pm IST)