Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગારિયાધાર-ભાવનગર રૂટની વધુ એક એસટી બસ વહેલી સવારે શરૂ કરવા માંગ

ગારિયાધાર તા.૨૫ : ગારિયાધાર ડેપોમાંથી સવારે ભાવનગર તરફ જવા વહેલી બસ પ-૩૦ કલાકે મળે છે. જે વાયા પાલીતાણા થઇને જતી હોય વિદ્યાર્થીઓથી ભરચક રહેતા તે ૮ કલાક પછી ભાવનગર પહોચે છે. વળી તેમા જગ્યાનો અભાવ હોય વૃધ્ધોને મુશ્કેલી પડે છે.

જયારે આણંદ, ઘોલેરા, વડોદરા તરફ જનારા મુસાફરોને નારી ચોકડીથી અન્ય વાહનો પકડવાના હોય છે. તેથી જયારે આ બસને પહોચવા સાથે લગભગ સવારથી સાતની બસો નીકળી જતી હોય છે. બીજી તરફ ગાંધીનગર થી સાંજે પરત ફરનારા મુસાફરો આ જ રૂટ પર જતા હોય તેને પણ સગવડ રહેતી નથી.

ગારિયાધારથી વાયા સણોસરા અથવા ધોડીઢાળ થઇને સવારે પ કલાકથી એક મીની અથવા મોટી બસ દોડાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભાવનગર થી પરત થતા પણ તેને પુરતા મુસાફરો મળવાની સંભાવના છે.

(12:10 pm IST)