Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભાવનગરમાં જૈન વેપારીનું બંધ મકાન નિશાન : સવા નવ લાખની મતાની ચોરી

ભાવનગર, તા. રપ : ભાવનગર શહેરમાં જૈન વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૯.૭૦ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં.

મળતી વિગતો મુજબ શહેરના ડોન વિસ્તાર દેરી રોડ જમીન વિકાસ બેંકની બાજુમાં પ્લોટ નં. ૬૩૧/એ 'પાશ્વ બંગલો'માં રહેતા ખાંડના વેપારી જૈન વાણીયા નલીનભાઇ રમણીકભાઇ વોરા વ્યવહારીક કામે પરિવાર સાથે અમદાવાદ ગયા હતાં ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી બાથરૂમના વેન્ટીલેશન તોડી અંદર પ્રવેશી કબાટમાં રહેલા સોના-ચાંદીના અને હિરાના ઘરેણા મળી કુલ રૂ. ૯.૧૦ લાખના ઘરેણા અને રૂ. ૬૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૯.૭૦ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા.

ચોરીના આ બનાવની જાણ થતાં જ બી-ડીવીઝનના પો.ઇ. ઇસરાની તથા સ્ટાફ, એલ.સી.બી., એસ.ઓ.જી અને ડોગસ્કવોર્ડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જૈન વેપારી નલીનભાઇ વોરાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. (૮.૯)

(12:08 pm IST)