Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કુતિયાણાના ઇશ્વરિયામાં ૪ શખ્સોએ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ચાંપી

એક અજાણ્યા સહિત શકદારો સામે પોલીસ ફરિયાદ : મંડપ સર્વિસનો તમામ સામાન બળીને ખાખ : અંદાજે ૧૫થી ૨૦ લાખનું નુકસાન

 પોરબંદર તા. ૨૫ : કુતિયાણાના ઇશ્વરીયા ગામે ૪ શખ્સોએ મંડપ સર્વિસના ગોડાઉનમાં રાત્રે આગ ચાંપીને નાસી ગયાની પોલીસ ફરીયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આગ લગાડવામાં એક અજાણ્યા શખ્સ સહિત ૪ શકદારોના નામ ફરિયાદમાં આપવામાં આવ્યા છે.

ઇશ્વરીયાના હરેશભાઇ પોલાભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઇશ્વરીયામાં મંડપ સર્વિસના ગોડાઉનમાં મોડી રાત્રીના આગ લગાડતા અંદાજે ૧૫થી ૨૦ લાખનું નુકસાન થયું છે.

પોલીસ ફરિયાદમાં આગ લગાડવા અંગે શકદારો તરીકે વિજય મગન વિંઝુડા રાજુ દેવા વિંઝુડા, ઝીણા સેન્ટ્રીંગવાળાનો પુત્ર તથા એક અજાણ્યો શખ્સ હોવાનું જણાવેલ છે. કુતિયાણા પીએસઆઇ એમ.આર.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)