Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગારીયાધારનાં રતનવાવમાં વિજ શોકથી ર બકરાના મોતઃ ગટરમાં પાણી ભરાતા દિવાલ ધરાશાયી

ગારીયાધાર તા. રપ :.. રતનવાવ ગામે આજે બપોરે સહકારી મંડળી નજીક આવેલ વિજ પોલની ખુલ્લા ટીસી નજીક બકરા પસાર થતાં વિજ શોકના કારણે બે બકરા મરી જવા પામ્યા હતાં.

રતનવાવ ગામની વચ્ચે જાહેરમાં મુકવામાં આવતો આ મોતનો સામાનથી આજે બકરાના મોત થયા છે. જેનાથી કોઇ અન્ય જાનહાનીનો બનાવ બને તે પહેલા વિજ તંત્ર દ્વારા ટીસી ફરતે તારની ફેચીંગનો ઉપયોગ થાય તે જરૂરી બન્યો છે.

ગારીયાધાર શહેરમાં વરસાદ વરસી પડતા સુખનાથ પાસે ગટરમાં પાણી ભરાયાથી દિવાલ ધસી પડવાનો બનાવ બનવા પામ્યો હતો. ત્રણ માસથી કામ કરનારી એજન્સી દ્વારા લેખીત રજુઆત કરવા છતાં કામગીરી ન થતા રોષ છે.

ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે ૩ કલાક બાદ વાતાવરણમાં અચાનક પલ્યો આવતા ભારે વરસાદ વરસી પડ્યો હતો. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ભારે ગરમી સાથે ઉકળાટ ભર્યા વાતાવરણ સજાયુ હતું. જે બપોરે વરસાદ વરસી પડતા આંશિક ગરમીમાં રાહત મળવા પામી હતી. (પ-૧૪)

(12:06 pm IST)