Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મોરબી પંથકની ૧૬ વર્ષની સગીરાનું અપહરણઃ દેવા રાવળ સામે ફરીયાદ

મોરબી, તા.૨૫: મોરબી પંથકની એક સગીરાને લગ્નની લાલચ આપી તેના જ વિસ્તારનો રહેવાસી યુવાન ભગાડી જતા સગીરાની માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી છે.

મોરબી  પંથકની  સગીરાનું અપહરણ થયાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી માતાએ જણાવ્યું છે કે તેના જ વિસ્તારનો રહેવાસી દેવો રાવળ નામનો શખ્શ તેની ૧૬ વર્ષની સગીર દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો છે એ ડીવીઝન પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:02 pm IST)