Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબીની લાપતા પરિણીતાએ પ્રેમી સાથે રાજકોટમાં લગ્ન કરી લીધા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૫: મોરબીના લક્ષ્મીનગર ગામે ગત તા.૦૩/૦૭/૨૦૧૮ના રોજ લાપતા થયેલી કમળાબેન નામની પરિણીતાને પોલીસે શોધી કાઢયા બાદ તેણે પ્રેમી સાથે રાજકોટમાં લગ્ન કર્યાની વિગતો સામે આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર લાપતા થયેલ પરિણીતા કમળાબેનને તેની સાસુ રેવીબેન માનસીક ત્રાસ આપતા હોય જેથી કંટાળી જઇ કોઇ ને કહયા વગર ઘરે થી નીકળી ગયેલ અને ચોટીલા ની આજુબાજુ રખડતુ ભટકતુ જીવન જીવતા હતા બાદ આજથી ત્રણેક વર્ષ પહેલા રાજકોટ ના આરીફઅલી પરમાર સાથે મુલાકાત થતા પ્રેમસંબંધ બંધાતા આરીફઅલી પરમાર સાથે ચોટીલા મંદીર માં લગ્ન કરી કર્યાનું સામે આવ્‍યું છે.જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

(12:38 pm IST)