Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમરેલી ડો. કલામ ઇનોવેટિવ વર્ક-રોટરી ગીરનાં યુવાનોના ''હું પણ કોરોના યોધ્ધા'' રોડ પેઇન્ટીંગને બિરદાવતા વિજયભાઇ રૂપાણી

અમરેલી,તા. ૨૫ : રાજયના  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ દ્વારા હું પણ કોરોના યોદ્ઘા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો.

આ અભિયાનના ભાગ રૂપે લોગ જાગૃતિ માટે અમરેલી કલેકટર શ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વીડિયો કોન્ફરન્સ ના અનુસંધાને ગુજરાત રાજયમાં અમરેલી જિલ્લા માં ડો. કલામ ઈનોવેટિવ વર્ક અમરેલી તેમજ રોટરી ગીર ના યુવાનો એ સાથે મળી હિરામોતી ચોક ખાતે ૨૦ ફૂટ મોટું તૈલી ચિત્ર દોરવામાં આવ્યું હતું.

આ તૈલી ચિત્ર દોરવા અને વીરરસ ભરવા માટે રાઠોડ હિરેન, પ્રતિક જોશી, વિવેક રાઠોડ, મૌલિક ઉપાધ્યાય,કેવલ મેહતા, કિશન શિલું, અભિષેક જાની,જય કાથરોટીયા,પાર્થિવ જોશી, અશોક મચ્છર, ઉમંગ જોશી, ત્રિલોક ભટ્ટ,પ્રેમભાઇ કણઝારિયા,પિયુષ અજમેરા, શૈલેષ જાની કાક્રેચા સંજય,કાક્રેચાં કિશોર ભાવેશ ઝિંઝુવાડિયા,રાજ જાની,આશિષ કોટેચા એ  જહેમત ઉઠાવી હતી.

આ તકે અમે અમરેલી જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક  અને અમરેલી એસ.પી શ્રી નિર્લિપ્ત રાઈનો વિશેષ આભાર માન્યો છે. તેમ ડો. કલામ ઈનોવેટિવ વર્ક ના પંડ્યા પ્રિતિશ ભાઈ ની યાદી માં જણાવેલ છે.

(1:09 pm IST)