Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ઢાંક સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે સંકટ ચતુર્થી ઉજવાઇ

ઢાંકઃ સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે સંકટ ચતુર્થીની ઉજવણી કરાય હતી. બીજી ચોથ કરતા બુધવારે આવતી સંકટ ચોથનું મહત્વ વધારે હોય છે.  તો તેનું ફળ પણ અનેકગણુ  મળે છે. ગણેશ મંદિરે ચોથ નીમીતે પુજા-પાઠ તેમજ શ્લોક ઉચ્ચારણથી પુજા વીધી કરાઇ હતી અને ગામના બાકોનું બટુક ભોજન તેમજ મંદિરે આવતા દર્શનાર્થીને માટે સાંજે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તે તસ્વીર. (તસ્વીરઃ પંકજગીરી ગોસ્વામી ઢાંક)

(11:57 am IST)