Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જામનગર જિલ્લાના જીવાપર ગામે અંકિતભાઇ રાવલના વ્યાસપદે યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતિ

જામનગર તા.૨૫. પવિત્ર અધિકમાસમાં, કાલાવડ તાલુકાના જીવાપર ગામે, શ્રી રાધેકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા, એસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક શાસ્ત્રી શ્રી અંકિતભાઇ રાવલના વ્યાસ પદે,, શ્રી લેઉવા પટેલ સમજની વાડીમાં,  સંગીતમય શૈલી સાથે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ.જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળેલ. કથા અંતર્ગત રામજન્મોત્સવ, કૃષ્ણજન્મોત્સવ, ગોવર્ધન લીલા, રુક્ષ્મણી વિવાહ, વગેરે ધામધુમથી ઉજવાયા હતા.

(12:58 pm IST)