Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ખેડૂતોના ચાંદી જેવા માલમા ભેળસેળ-સરકાર કાળા કારોબારીઓને છાવરે છેઃ હર્ષદ રાબડીયા

જુનાગઢ : મગફળી કૌભાંડ બાદ તુવેરદાળમાં પણ ભેળસેળ સાથે કૌભાંડ ખુલતા જુનાગઢ જીલ્લાના વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ સરકાર સામે આક્ષેપો કર્યા છે.  આ અંગે હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે ખેડૂતો મહા મહેનત કરીને પોતાની જમીનમાં પાકનું ઉત્પાદન કરે છે અને ખેડુતોના ચાંદી જેવા માલમા ભેળસેળ થઇ રહી છે. સરકાર કાળા કારોબારીઓને છાવરી રહી છે તેવો આક્ષેપ કરીને જવાબદારોને જેલ ભેગા કરવાની માંગણી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કરી છે.

(3:43 pm IST)