Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જેતપુરમાં કારખાનેદાર યુવકના રૂપિયા ઉઘરાણીમાં ફસાતા આપઘાત

જેતપુર, તા. રપ :  જેતપુરના ફુલવાડી વીસ્તારમા રહેતા અને રામજી મંદીર પાસે સાડી છાપવાનુ કારખાનું ધરાવતા કમલેશભાઈ કાન્તીભાઈ આસરા નામના યુવકે પોતાના ધંધામા સુરતની પાર્ટી પાસે આસરે રૂપીયા બે લાખથી વધુની ઉઘરાણી બાકી હોયજે આવતી ન હોય તેથી પોતેે આર્થિક રીતે નબળા પડ્યા હતા.

 આજે સવારના પોતાના કારખાને કામ કરતા માણસને સમગ્ર વાત કરીને જણાવેલકે પોતે હવે મરીજશે ત્યારે કામ કરતા માણશે તેમને સમજાવેલકે આવુ નકરાય ત્યારબાદ કમલેશભાઈ બાથરૂમમાં ગયેલ પણ વાર લાગતા કામ કરતા માણસો બાથરૂમમાં તપાસ કરતા કમલેશભાઈ કોઈ પ્રકારનુ ઝેરી પીણુ પીધેલ હોય તેથી તાત્કાલિક જેતપુર સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર માટે સંજીવની હોસ્પિટલ ખસેડવામાં આવેલ ત્યાંના ડોકટરોએે તપાસ કરતા કમલેશભાઈ ને મૃત જાહેર કરતા સગા સંબંધીઓમા શોકનંુ માતમ છવાઈ જવા પામ્યુ હતુ. હાલ મૃુતક ની ડેડબોડી પીએમ માટે જેતપુર સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે આ બનાવની વધુ તપાસ જેતપુર સીટી પોલીસ ચલાવીરહી છે.

(3:22 pm IST)