Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જૂનાગઢની પરિણીતાનાં આપઘાતમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ

જૂનાગઢ, તા.૨૫: જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ કિંગસવિલા એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન યોગેશ રણપરીયા (ઉ.વ.૨૯)નામની પરિણીતાને ગઇકાલે સવારે ગળાફાંસો ખાયને મોતને મીઠુ કરી લીધુ હતું. જેમાં મૃતકનાં અમદાવાદ ખાતે રહેતા પિતા મનસુખભાઇ કરશન રાધવાણીએ ઉષાબેન પતિ-યોગેશ, સસરા ચુનીભાઇ ટુપલભાઇ અને સાસુ દયાબેન સામે ઉષાને મારકુટ કરી, ત્રાસ આપી અને મરી જવા મજબુર કર્યાની ફરિયા આજે જૂનાગઢ વીડીશન પોલીસમાં નોંધાવી હતી.

પોલીસે ફરિયાદનાં પગલે આગળની તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)