Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ના ચલણી સિકકા અને પાંચની નોટો વેપારીઓ સ્વીકારતા ન હોયઃ રોષ

સુરેન્દ્રનગર, તા.૨૫: સુરેન્દ્રનગર જિલ્લામા ૧૦ રૂપિયાના સિક્કા અને પાંચની વેપારીઓ દવારા નોટોના લેવા માં આવતા ગ્રાહકોમાં રોષ વ્યાપી ગયેલ છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની માર્કેટમાં કોઈ પણ ગ્રાહક ૧૦નો સિક્કો કે પાંચની નોટ વેપારીને આપે ત્યારે વેપારીઓ દ્વારા આ નોટ અને સિક્કો લેવામાં નનયો કરવામાં આવે છે. ભારત સરકાર દવારા માન્ય કરવા માં આવેલ હોવા છતાંય સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચની નોટ અને ૧૦ના સિક્કા વેપારીઓ દ્વારા કે પેટ્રોલ પમ્પ , ખાણી પીણીની લારીઓ , ગલ્લાઓ પર લેવા માંના આવતા સુરેન્દ્રનગર વાસીઓમાં રોસ ફેલાયો છે. અનેક સ્થળે ૧૦ના સિક્કા અને પાંચની નોટોના લેવામાં આવતા હોવા થી જિલ્લાની બજારોમાં ઘણી વખત વેપારીઓ અને ગ્રહકો ઘર્ષણ કરતા પણ નજરે પડે છે.ત્યારે સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા પૂર્વક પગલાં લેવાય તેવી માંગ ઝાલાવડ પંથકમાં ઉઠી છે.

(11:43 am IST)