Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પોરબંદર બેઠક પર ભાજપમાં લલિત રાદડિયા જશુબેન કોરાટ અને મનસુખ ખાચરિયાનું નામ પેનલમાં : કોને મળશે ટિકિટ ?

રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ પણ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા બતાવી

અમદાવાદ :રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી ભાજપે 16 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને હવે 10 બેઠક પર ઉમેદવાર જાહેર થવાના બાકી છે એ પૈકી પોરબંદર બેઠક પર આ વખતે નાદુરસ્ત તબિયતને કારણે વિઠ્ઠલ રાદડીયા ચૂંટણી  લડવાના નથી

   જો કે તેમના બદલે પુત્ર લલિત રાદડીયાનું નામ પેનલમાં આવ્યું છે. આ ઉપરાંત જશુબહેન કોરાટ અને મનસુખ ખાચરીયાનું નામ પણ પેનલમાં છે.જો કે વિઠ્ઠલ રાદડિયાનાં પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી જયેશ રાદડિયાએ પણ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા બતાવી હતી

(8:50 pm IST)