Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વિસાવદરના ચાંપરડા આશ્રમની અપરિણીત યુવતિનો આપઘાત

ટોઇલેટ જાઉં છુ તેમ કહીને ગયા બાદ ફાંસો ખાઇ લીધો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : વિસાવદરના ચાંપરડા આશ્રમની અપરિણીત યુવતિએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

વિસાવદર તાલુકાના ચાંપરડા સ્થિત આશ્રમના કવાર્ટરમાં રહેતા લક્ષ્મણગીરી વીરગીરી મેઘનાથીની અપરિણીત પુત્રી દિશાબેન (ઉ.વ.૧૯) નામની યુવતિ ગઇકાલે સાંજે ૪.૧૫ ના અરસામાં હું ટોઇલેટ જાઉં છું તેમ કહીને ગઇ હતી.

પરંતુ દિશા પરત નહિ આવતા તપાસ કરતા તેણીનો આશ્રમનાં સ્ટોરરૂમમાં મૃતદેહ લટકતો મળી આવેલ.

દિશાએ સ્ટોરરૂમમાં ગળાફાંસો ખાઇને મોતને મીઠું કરી લીધું હોવાની જાણ થતાં વિસાવદર પોલીસ દોડી ગઇ હતી અને યુવતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

યુવતિના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. જમાદાર ડી.એન.ચાચીયા તપાસ ચલાવી રહ્યા છે.

(12:52 pm IST)