Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

હળવદનાં ઇશ્વરનગરમાં પતિએ પિયર જવાની ના પાડતા પત્નિએ ઝેરી દવા પી લઇને આપઘાત

હળવદ, તા.૨૫: હળવદ તાલુકાના ઈશ્વર નગર ગામે છોટાઉદેપુર તરફથી મજુરી કામ અર્થે આવેલ મંજુબેન રાજેન્દ્રભાઈ આદિવાસી ઉંમર વર્ષ ૨૫ ને પિયર જવું હોય જે અંગે તેના પતિએ ના કહેતા મંજુબેનને લાગી આવ્યું હતું અને વાડીમાં ખડમાં છાંટવાની દવા તારીખ ૨૦/૨ ના રોજ પી ગયા હતા.

જોકે દવાની અસર બે દિવસ પછી થતા મંજુલાબેન નું ગતરાત્રીના મોત નીપજયું હતું બનાવ અંગેની જાણ હળવદ પોલીસને થતા અરવિંદભાઈ ઝાપડિયા, સંજયભાઈ લકુમ સહિતનાઓ ઈશ્વર નગર ગામે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે દવા પી ગયાના બે દિવસ બાદ મોત નિપજતા થોડી શંકાઓ ઉપજવા પામી હતી જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા લાસનેઙ્ગ ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

જયાં મહિલાનું મોત ઝેરી દવા પીવાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:52 am IST)