Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ડો.સૈયદના સાહેબ કાલે માંડવીમાં: ઉર્ષ મુબારકના પ્રસંગમાં વાઅઝ ફરમાવશે

દેશભરમાંથી દાઉદી વ્હોરા સમાજના ભાઈ-બહેનો હાજરી આપશે

રાજકોટ,તા.૨૫: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) આવતીકાલે તા.૨૬ના બુધવારના રોજ મુંબઈ થી માંડવી (કચ્છ) જશે.

૩૭માં દાઈ સૈયદના નુર મોહમ્મદ નુરૂદ્દીન સાહેબ (રી.અ.)ના ઉર્ષ મુબારકની રાત તા.૨૬ બુધવારે તથા તા.૨૭ ગુરૂવારના રોજ ઉર્ષ મુબારકના દિવસે સવારે વાઅઝ ફરમાવશે. દેશભરમાંથી સેંકડોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના ભાઈ- બહેનો ઉર્ષ મુબારક પ્રસંગે જીયારત કરવા તથા હિઝહોલીનેશ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની વાઅઝનો લાભ લેશે. તેમ યુસુફઅલી જોહરકાર્ડસ વાળાએ અખબાર યાદીમાં જણાવ્યું છે.

(11:41 am IST)