Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે મહાપૂજા

મોરબી : સ્વામીનારાયણ ગુરૂકુળમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા યોજાઈ હતી. જે મહાપૂજામાં આધ્યાત્મભાવ દ્વારા માનસિક દ્રઢતા માટેની સંકલ્પપૂર્તિ મહાપૂજામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા ધોરણ ૧૦ અને ૧૨ ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વર્ષભર કરેલી આયોજનબદ્ઘ મહેનતની સાર્થકતા માટે તેમજ વાલીઓએ પોતાના સંતાનોની સફળતા માટે મહાપૂજાના માધ્યમથી શ્રીહરિ અને સર્વ દેવોની પૂજા-અર્ચના કરીને સારા પરિણામ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે સંસ્થા સંચાલક જ્ઞાનજીવનદાસસ્વામીએ પુરુષાર્થની સાથે શ્રદ્ઘાભાવનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સફળતા માટે આશીર્વાદ પાઠવ્યા હતા. મહાપૂજા યોજાઈ તે તસ્વીરો.

(11:34 am IST)