Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કુવાડવા રોડ પર ટાઉનશીપમાં બેભાન થઇ જતાં ચેતનભાઇ મનાણીનું મોત

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતાં ચેતનભાઇ ભીખાભાઇ મનાણી (કડીયા) (ઉ.૪૧) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇમાં નાના હતાં અને સંતાનમાં એક પુત્ર છે. તે કડીયા કામ કરતાં હતાં. કેન્સરની બિમારી હોવાનું તેમના સ્વજનોએ કહ્યું હતું.

(11:29 am IST)