Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જૂનાગઢમાં પૂ. રાજભારતી બાપુને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં સમાધી અપાઇ

જૂનાગઢ : ઝાંઝરડા રોડ સ્થિત ખેતલીયા દાદાની જગ્યાના મહંત રાજભારથી બાપુએ ગઇકાલે આપઘાત કરી લેતા સાધુ - સંતો અને સેવકોમાં શોક છવાયો છે. આજે સવારે ૧૧ કલાકે ખેતલીયા દાદા મંદિર આશ્રમના પરિસરમાં પૂ. રામભારથીબાપુની સમાધીની બાજુમાં પૂ. રાજભારતી બાપુને સમાધી આપવામાં આવેલ ત્યારે અખંડાનંદ ભારથીબાપુ હરીહરાનંદભારથીબાપુ, ઇન્દ્રભારથીબાપુ, શૈલજાદેવી ચાંપરડાના સદાનંદબાપુ મેંદરડાના સુખરામદાસજી બાપુ, મહાદેવભારથીબાપુ, દિલીપદાસબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ ગિરનારના સંતો - મહંતો અને શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, ડે.મેયર ગીરીશભાઇ કોટેચાની ઉપસ્થિતિમાં સમાધી  આપવામાં આવેલ જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:31 pm IST)