Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

દ્વારકાધીશ જગતમંદિરમાં કાલે વસંતપંચમી મહોત્‍સવ : દર્શન સમયમાં ફરેફાર

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૫ : યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્‍ધ દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા. ૨૬-૧-૨૦૨૩ને ગુરૂવારના મહા સુદ પાંચમના રોજ ‘વસંત પંચમી મહોત્‍સવ'ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દ્વારકાધીશ મંદિર વહીવટદારની યાદીમાં જણાવ્‍યાનુસાર ઠાકોરજીના દર્શન સમયમાં ઉત્‍સવ અનુરૂપ જરૂરી ફેરફાર નોંધાયા છે. તા. ૨૬મીએ સવારેનો ક્રમ નિત્‍યક્રમાનુસાર રહેશે. બપોરે ૧ કલાકે અનોસર (મંદિર બંધ) થશે. બપોરે ૨ કલાકે ઠાકોરજીની વસંત પંચમી નિમિતે ઉત્‍સવ આરતી થશે. ત્‍યારબાદ બપોરે ૩ વાગ્‍યા સુધી ભાવિકો માટે ઉત્‍સવ દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૩ થી સાંજે ૫ વાગ્‍યા સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. તેમજ સાંજનો ક્રમ નિત્‍યક્રમ અનુસાર રહેશે. (તસ્‍વીરઃ દિેપેશ સામાણી-દ્વારકા)

(11:30 am IST)