Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મોરબીના પીપળી જેતપર રોડ રીપેર કરવા આદેશ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડ જે અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે તે તાકીદે રીપેર કરવા માટેની લોકલાગણી અને માંગણીને ધ્યાને રાખી મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓનું ફરીથી ધ્યાન દોરી આ રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તે માટે આદેશો છોડ્યા છે.

આ ઉપરાંત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે સાંજે આ રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને અધિક્ષક ઇજનેરની ઉપસ્થિતિમાં એક બેઠક રાજકોટ ખાતે બોલાવીછે. જેમાં આ રસ્તાની ત્વરિત રીપેરીંગ કામગીરી તેમજ ચારમાર્ગીય રસ્તો બનાવવાની કામગીરી કરવા સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે.

(11:42 am IST)