Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મોરબી ઉમિયા સર્કલ રોડનું ખાતમુહુર્ત :

મોરબી : દલવાડી સર્કલ ઉમિયા સર્કલ, એસપી રોડ, લીલાપર ચોકડી, મચ્છુ બ્રીજથી રફાળેશ્વર સુધીના ૧૨ કિલોમીટર કેનાલ રોડને ૧૦ મીટર પહોળો કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જોબ નંબર મેળવ્યો હોય જે અંતર્ગત રૂ ૨૨ કરોડના ખર્ચે રોડ પહોળો કરવાના કામનું ખાતમુર્હુત દલવાડી સર્કલ ખાતે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે ધારાસભ્ય  સાથે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ જીલ્લા પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી ભાવેશભાઈ કણઝારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિદભાઈ વાંસદડિયા, કે કે પરમાર, નરેન્દ્રભાઈ પોપટ, હંસરાજભાઈ પાંચોટિયા, માળિયાના મણીલાલ સરડવા, આર કે પારજીયા, મહેશભાઈ ઘોડાસરા, કમલેશભાઈ કૈલા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. રોડમાં ઉમિયા સર્કલથી એસપી રોડ તેમજ લીલાપર ચોકડીથી મચ્છુ બ્રીજ સુધી સિમેન્ટ રોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે રોડ ૧૦ મીટર પહોળો થવાથી ટ્રાફિક સુગમતા રહેશે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જોષી અને નાયબ ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ જહેમત ઉઠાવી હતી.રોડના ખાતમુહુર્તની તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(12:04 pm IST)