Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

રાણાવાવમાં જિલ્લા કક્ષાનું પ્રજાસતાક દિન પર્વઃ વાસણભાઇના હસ્તે તિરંગો લહેરાશે

પોરબંદર તા. ૨૫: પોરબંદર જિલ્લા કક્ષાનું પ્રજાસતાક દિન પર્વમાં ૨૬મી જાન્યુઆરીએ રાજ્યના મંત્રી વાસણભાઇ આહિરના હસ્તે સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ , ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર દ્વારા આયોજીત ૨૬મી જાન્યુઆરી-૨૦૨૦ પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ  તા. ૨૫ જાન્યુઆરીના રોજ સાંજે ૬.૩૦ કલાકે સરકારી હાઈસ્કુલ રાણાવાવ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી , સામાજીક શૈક્ષણીક પછાત વર્ગોનું કલ્યાણ , પ્રવાસન વિભાગ વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં સાગર ખેડુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રજાસતાક દિને સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડ અને ટેલ્લો નિર્દેશન યોજાશે.

અડવાળામાં પોરબંદર તાલુકા કક્ષાના પ્રજાસતાક દિનની  ઉજવણીમાં નાયબ કલેકટર કે.વી. બાટીના હસ્તે ઉચ્ચતર માધ્ય.શાળા ખાતે સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારંભ રાખેલ છે.

(11:39 am IST)