Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભાવનગર શેઠ બ્રધર્સ પરિવારના ગૌરવભાઇ દ્વારા વલ્લભ ગુણગાન મહોત્સવ

 ભાવનગર તા.રપ : શેઠ બ્રધર્સ પરિવારના ગૌરવભાઇ શેઠ આયોજીત શ્રી વલ્લભ ગુણગાન મહોત્સવનો પ્રારંભ પ.પુ.૧૦૮ શ્રી યદુનાથજી મહોદયની અમૃતવાણી દ્વારા પ્રારંભ થયો હતો. મનોરથી પરિવારના કુસુમબેન અશોકભાઇ શેઠના સંકલ્પને પુર્ણ કરવાના શુભ આશયથી તેમના પુત્ર ગૌરવભાઇ શેઠના દ્વારા કથા આયોજન થયુ છે.

બપોરે પ્રજ્ઞેશભાઇ શેઠના નિવાસ સ્થાન દેવ બંગ્લોઝ ખાતેથી શોભાયાત્રાનુ પ્રસ્થાન થયુ હતુ જેમાં હાથી, ઘોડા, બગીની સાથે રંગદર્શી શોભાયાત્રા અને વાજતે ગાજતે ઠકરાણીઘાટ યોજાઇ હતી. ગુલિસ્તાન મેદાન ખાતે પહોચી હતી જેમાં દિવ્ય કથાનો પ્રારંભ પ.પુ.૧૦૮ દ્વારકેશ બાવાશ્રી, પ.પુ.૧૦૮ યદુનાથજી મહોદય, મનોરથી પરિવારના અશોકભાઇ શેઠ, ગૌરવભાઇ શેઠ દ્વારા દિપપ્રાગટય કરી આ દિવ્ય મહોત્સવનો શુભારંભ કરાયો હતો. જેની શરૂઆત ગૌરવભાઇ શેઠના સ્વાગત પ્રવચનથી થયો હતો.કથાના પ્રથમ દિવસે પ.પુ.૧૦૮ શ્રી યદુનાથજી મહોદયે પોતાની અસ્ખલિત દિવ્યવાણી વહાવી હતી. તેમણે કહ્યુ હતુ કે વલ્લભના ઘરે પહોચવુ હોય તો મનુષ્યે લોભ, મોહ વગેરે જેવી સાંસારીક માયાનો ત્યાગ કરવો જ રહ્યો. પોતાની આગવી શૈલીથી શ્રી પ.પુ.૧૦૮ યદુનાથજી મહોદય સમગ્ર વૈષ્ણવસૃષ્ટિ તથા કથા શ્રવણ કરતા ભાવિકોને રસ તરબોળ કરી દીધા હતા આ કથા તા. ૨૬ રવિવાર સુધી દરરોજ ૪ થી ૭ યોજાશે. દરેક ભાવિકોને તેનો લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.

(11:36 am IST)