Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

દ્વારકા-જામનગર ચાર માર્ગીય હાઇવે પ્રોજેકટનો ૧૪ ગામના ખેડૂતોનો વિરોધ

ખંભાળીયા તા. રપ :.. દ્વારકા-દેવભૂમિ દ્વારકા  જિલ્લના ૧૪ ગામના અંદાજીત ર૦૦ થી વધુ ખેડૂતોએ દ્વારકા-જામનગર હાઇવેને ચાર માર્ગીય બનાવવાના હાઇવેના પ્રોજેકટનો વિરોધ કર્યો છે.એર સ્ટ્રીપ જેવા મહત્વના પ્રોજેકટમાં પણ ખેડૂતોને નહિવત વળતર મળતા અને રોડ કપાત જતી જમીન માલિક ખેડૂતો દ્વારા હાલની પ્રવર્તમાન બજાર કિંમત મુજબ યોગ્ય વળતર મળવા બાબતે ખેડૂતોએ વિરોધ કરી.  જમીનના ભાવ કરતા ૯૧ ટકા ઓછુ વળતર મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે.આ બાબતે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં કોર્ટમાં જશે. તેવી ચિમકી અપાઇ છે.

(11:24 am IST)