Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મોરબી માળિયા પંથકના પ્રશ્નો મોકલી આપવા બ્રિજેશભાઇ મેરજાનો અનુરોધ

મોરબી,તા.૨૫: મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત વિધાનસભાનું તા. ૨૪ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી ચાલનાર બજેટ સત્રમાં પ્રશ્નો મૂકી સકાય તે માટે જાહેર સૂચનો મોકલવા ધારાસભ્ય બ્રિજેશભાઇએ અગ્રણીઓ, સંસ્થાઓ અને લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે

ગુજરાત વિધાનસભામાં વિવિધ તબક્કે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળિયા પંથક સહીત અનેક જાહેર મુદાઓ સમયાન્તરે ઉઠાવીને લોકોની લાગણીનો પડદ્યો વિધાનસભા ફ્લોર પર મુકવામાં ધારાસભ્ય સક્રિય રહ્યા છે જેના પરિણામો પણ જોવા મળતા રહે છે હવે જયારે વિધાનસભા સત્ર ફરી મળી રહ્યું છે ત્યારે મોરબી-માળિયાના વિવિધ પ્રશ્નો વોટ્સએપ નં ૯૪૨૮૭ ૦૧૫૪૭ પર મોકલી આપવા અને સમસ્યાઓ ટૂંકમાં મોકલવી જરૂરી છે તેમ પણ જણાવ્યું છે.

વિધાનસભામાં પ્રશ્નો મુકવા માટે સુનિશ્ચિત કરેલી સમયમર્યાદાની વહીવટી પ્રક્રિયા હોય છે એટલે આગોતરા પ્રશ્નો જો સમયસર મળે તો તેનો યોગ્ય અભ્યાસ કરીને નીતિ વિષયક બાબતો કે રોજબરોજની સમસ્યાઓને યથાયોગ્ય રીતે વિધાનસભામાં ઉઠાવીને લોક લાગણીનો પડદ્યો પાડવાનું સરળ બની સકે તેમ બ્રિજેશભાઇ મેરજાની યાદીમાં જણાવ્યું છે.

(11:22 am IST)