Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ધ્રાંગધ્રામાં હરપાલદાદાની જન્મજયંતી ઉજવાશે

 ધ્રાંગધ્રા તા.રપ : ધ્રાંગધ્રા મા હરપાલદેવ જન્મજયંતી ઉજવણી તા ૭ ફેબ્રુઆરી ના રોજ ભવ્ય ઉજવણી કરવાની હોવાથી જેના આયોજવાનીઙ્ગ મીટિંગ શ્રી રાજ દ્યનશ્યામ સિંહજી રાજપૂત છાત્રાલય ખાતેઙ્ગ રવિવારે યોજાઇ હતી.

 હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના નવા વરાયેલા પ્રમુખ સુખુભા ઝાલા માથક, ઉપપ્રમુખ કનકસિંહજી ઝાલા કોંઢ, જીલ્લા કરણીસેના પ્રમુખ,ક્રિપાલસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા,મનોહરસિંહ રાણા કિરીટ સિંહ જાડેજા તેમજ આયોજક સમિતિ આગેવાનોઙ્ગ કાર્યકરો ની મોટી સંખ્યામાં હાજર રહેલ.સમગ્ર કાયઁકમ ની વિવિધ કમીટી ની રચના કરવામાં આવી અને તૈયારી શરૂ કરી આયોજન કરવામાં આવેલ કાયઁકમ ને સફળ બનાવવા માટે હરપાલદેવ જન્મજયંતી ઉજવણી સમીતીના કાયઁક્રરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

હરપાલદાદાની જન્મજયંતી નિમિતે ૯૫૫ દિવાની દિવ્યજયોતનું આયોજન કરાયુ છે.

(11:21 am IST)