Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સુરેન્‍દ્રનગરના વણામાં ૬૦ લાખના ખર્ચે સી.કે.શાહ આરાધના ભવન ઉપાશ્રયનું નિર્માણ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૨૪ : જાણીતા દાતા કિશોરભાઇ શાહ દ્વારા ૬૦ લાખના ખર્ચે પોતાના પત્‍ની છાયાબેનના નામ ઉપરથી વણામાં સી.કે. શાહ આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જાણીતા દાતા કિશોરભાઇ શાહ દ્વારા દાનની સરવાણી બાદ આ ઉપાશ્રય જૈન સાધુ સાધ્‍વીજીઓ માટે ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવ્‍યું. જેમાં અનેક જૈન સાધુ સાધ્‍વીજીઓ વિશ્રામ કરી શકશે. ૪૦૦ વર્ષ જુનુ દેરાસર આવેલુ છે. તેની બાજુમાં જ આ ઉપાશ્રય બનાવવામાં આવેલ છે. આ પ્રસંગે આશીર્વાદ આપવા જૈન સાધ્‍વીજીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપાશ્રય બનાવવા બદલ કિશોરભાઇ શાહ પરીવારને ચારેબાજુથી અભિનંદનની વર્ષા થઇ રહી  છે. તેમનો પરીવાર મુંબઇ સ્‍થાઇ હોવા છતાં આ પ્રસંગે વણામાં સમગ્ર પરીવાર ઉપસ્‍થિત રહ્યો હતો. ગામના આગેવાનો તથા જૈન સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપાશ્રયના ઉદઘાટનની ખુશીમાં શાહ પરીવાર તરફથી વણા હાઇસ્‍કુલના દરેક બાળકોને ફુલસ્‍કેપ તથા બોલપેન સહિતની ૧૫ હજારની વસ્‍તુઓ શાળામાં વિતરણ કરી હતી. તેમ વાય. એચ રાણાી યાદીમાં જણાવેલ હતું.

(10:43 am IST)