Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો

ધારીઃ ગુજરાત વિધાનસભાની આ બેઠકોની પેટાચૂંટણીમાં બંને પક્ષનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પર પ્રહાર કર્યા પછી સી.આર. પાટિલે તેનો વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયનું શું સ્થિતિ હતી તે બધા જાણે છે. તે સમયે ફક્ત ભ્રષ્ટાચાર જ હતો, કોઈ કામ થતા ન હતા. અમે લોકોને મદદરૂપ નીવડે તેવી યોજનાઓ લાવ્યા હતા. આજે ગુજરાતમાં અમારી સત્તા પ્રજાકીય કાર્યોના લીધે છે. કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવોના સૂત્રો આપ્યા છે, જ્યારે અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કર્યુ છે. આજે કોંગ્રેસ રાજ્યમાં તળિયે છે તેનું આ જ કારણ છે.

(5:04 pm IST)