Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ઇદે મીલાદની ઉજવણી મસ્જીદ અને મહોલ્લામાંજ કરવાની છુટની ખાત્રી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૪ : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીને ઇદે મિલાદનું પર્વ સરકારશ્રીની ગાઇડલાઇન તથા સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ઉજવવા કરેલ રજુઆત સંદર્ભેમાં ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહજી  જાડેજાને રજુઆત કરતા ગૃહમંત્રીશ્રીએ ઉપરોકત બાબતની અગત્યના ધ્યાને લઇ તરત જ અમદાવાદ પોલીસ કમિશનર શ્રીવાસ્તવને રજુઆત કરવા કહ્યું હતું.

ગૃહમંત્રીશ્રીની સુચના અનુસાર અમદાવાદ પોલીસ કમિશનરશ્રીને રજુઆત સંદર્ભે પોલીસ કમિશનરશ્રીએ કોરોનાની મહામારીના સંક્રમણને જોતા જનહિતમાં મોહરમ તથા રથયાત્રા સહિત અન્ય તહેવારો ઉજવવા માટે પરવાનગી આપવામાં આવી નથી તેમ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અને સોશ્યલ ડિસ્ટન્સના પાલનની શરતોને આધિન પરવાનગી આપવામાં આવી છે તે જ અનુસાર ઇદેમિલાદના પર્વની ઉજવણી મસ્જીદ તથા મહોલ્લામાં જ કરવાની પરવાનગી આપવા યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

(12:46 pm IST)