Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મોરબી, વાંકાનેરમાં કોરોનાના ૧૬ કેસ : વધુ ૨૧ દર્દીઓ સ્વસ્થ

મોરબી,તા. ૨૪: મોરબી અને વાંકાનેર તાલુકામાં કોરોનાના નવા ૧૬ કેસો નોંધાયા છે જયારે આજે ૨૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૬ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ૧૫ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૧૨ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયો છે જયારે આજે વધુ ૨૧ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૦૯૭ થયો છે જેમાં ૧૫૧ એકટીવ કેસ છે જયારે ૧૮૨૮ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

(11:35 am IST)