Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

26મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાલીતાણા દર્શનાર્થે પધારશે

પાલીતાણા સ્પેશિયલ હેલીકૉપટરથી આવીને ભૈરવનાથ મંદિરે દર્શન કરશે -તળેટીએ પણ પહોંચશે અને ત્યાંથી સીધા રાજકોટ આવશે

ભાવનગર :રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે તા.૨૬ ઓક્ટોબરના રોજ બપોરે ૧૫:૪૫ કલાકે પાલીતાણાના હેલીપેડ ખાતે સ્પેશિયલ હેલીકોપ્ટર મારફતે આવશે ત્યાથી તેઓ રસ્તા માર્ગે ભૈરવનાથ મંદીર ખાતે જવા રવાના થશે ત્યા તેઓ ૧૬:૦૦ કલાકે પહોંચી દર્શન કરશે, ૧૬:૪૫ કલાકે તેઓ ત્યાથી રસ્તા માર્ગે રવાના થઈ ૧૬:૫૦ કલાકે પાલીતાણા તળેટી ખાતે પહોંચશે. ત્યાથી તેઓ ૧૭:૦૦ કલાકે રસ્તા માર્ગે રવાના થઈ ૧૭:૧૦ કલાકે પાલીતાણાના હેલીપેડ ખાતે પહોંચી ત્યાથી સ્પેશિયલ હેલીકોપ્ટર મારફતે રાજકોટ જવા રવાના થશે

(8:41 pm IST)