Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

લોધીકા મામલતદાર મકવાણાની બદલી...

દાહોદ મુકી દેવાયાઃ પ્રજાપતિની નિમણૂંકઃ કલેકટર સુધી મામલો પહોંચ્યો હતો

રાજકોટ તા.૨૪: મહેસુલ ખાતાએ વધુ એક મામલતદારની બદલીનો ઓર્ડર કરી નાખ્યો છે, રાજકોટ જિલ્લાના લોધીકા મામલતદાર મકવાણાની એકા એક બદલી કરી દાહોદ મુકી દેવાયા છે, અને તેમના સ્થાને જામજોધપુરથી પ્રજાપતિની નિમણૂંક કરાઇ છે.

મહેસુલ કર્મચારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ કલેકટર સુધી કહેવાતી ફરિયાદો અને ત્યારબાદ કલેકટર દ્વારા સરકારમાં થયેલ રીપોર્ટ બાદ લોધીકા મામલતદારની બદલી કરતો હુકમ આવી પડયો છે, જો, કે આ બાબતને સત્તાવાર અધિકારીઓ હાલ કોઇ સમર્થન આપતા નથી.(૧.૨૭)

(4:12 pm IST)